મોરબીમાં આર.કે. ઘૂઘરાની દુકાને મહિલા વેપારીને ગાળો આપીને નુકશાન કરનારા ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીમાં વાવડી રોડે જાહેરમાં બ્લેડ વડે પોતાના હાથે છેકા મારીને ઇજા કરી લેનાર યુવાન સારવારમાં
SHARE
મોરબીમાં વાવડી રોડે જાહેરમાં બ્લેડ વડે પોતાના હાથે છેકા મારીને ઇજા કરી લેનાર યુવાન સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે યુવાને કોઈ કારણોસર બ્લેડ વડે પોતાના જમણા હાથમાં છેકા મારીને ઇજા કરી લીધી હતી. જેથી કરીને તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૧૫ માં રહેતો ગિરીશ નરેન્દ્રભાઈ કંઝારીયા (૨૦) નામનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે હતો ત્યારે ત્યાં તેણે પોતાની જાતે પોતાના જમણા હાથ પર બ્લેડ વડે છેકા મારીને ઇજા કરી લીધી હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.
પરિણીતા સારવારમાં
મોરબીના વિસ્તારમાં મિલની ચાલીમાં રહેતા સારબાઈ ઝાકીરભાઇ મોવર (૨૬) નામની પરણીતાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને ગુલશનબેન સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવી હતી અને તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે સાસુ સાથે ઝઘડો થતાં પરણીતાને મારામારીમાં ઈજા થયેલ હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ઝવેરભાઈ માવજીભાઈ દેલવાણીયા (૩૨) નામનો યુવાન મોરબીના શોભેસ્વર રોડ ઉપર હતો ત્યારે કોઈ અન્ય વાહન ચાલાકે તેને ટક્કર મારતા તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
કાર અને બાઈક વચ્ચે અકસ્માત
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરેન્દ્રનગરના મોટી અંકેવાળીયાના રહેવાસી નિકુલ વ્રજલાલ મોટકા (૨૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બાઈક લઈને યુવાન કારખાનેથી પરત આવતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં લઈને આવ્યા છે.