મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE









મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લાના ઘણા શ્રદ્ધાળુઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ સાથે જોડાયેલ છે અને ત્યાં જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા. ૧૯. ૨૦ અને ૨૧ ના રોજ ત્રણ દિવસ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

થાનગઢ ખાતે આવેલ જોગ આશ્રમ ગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ) ના સમાધિ સ્થળમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાધુ, સંત-મહંત તેમજ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જોગધ્યાનપૂરા આશ્રમ ખાતે યોજાનાર છે જેમાં વિશાળ સંખ્યામાં ભકતજનો પણ જોડાશે આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી (રાજકોટવાળા) દ્વારા કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવતભુષણ દ્વારા વિધીવિધાન પૂર્વક સંપન્ન થશે ત્યારે આ દિવ્ય મહોત્સવને માણવા તેમજ યજ્ઞ નારાયણના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News