મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
SHARE
મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
મોરબી જિલ્લાના ઘણા શ્રદ્ધાળુઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ સાથે જોડાયેલ છે અને ત્યાં જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા. ૧૯. ૨૦ અને ૨૧ ના રોજ ત્રણ દિવસ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
થાનગઢ ખાતે આવેલ જોગ આશ્રમ ગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ) ના સમાધિ સ્થળમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાધુ, સંત-મહંત તેમજ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જોગધ્યાનપૂરા આશ્રમ ખાતે યોજાનાર છે જેમાં વિશાળ સંખ્યામાં ભકતજનો પણ જોડાશે આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી (રાજકોટવાળા) દ્વારા કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવતભુષણ દ્વારા વિધીવિધાન પૂર્વક સંપન્ન થશે ત્યારે આ દિવ્ય મહોત્સવને માણવા તેમજ યજ્ઞ નારાયણના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે