હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE











મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લાના ઘણા શ્રદ્ધાળુઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ સાથે જોડાયેલ છે અને ત્યાં જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા. ૧૯. ૨૦ અને ૨૧ ના રોજ ત્રણ દિવસ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

થાનગઢ ખાતે આવેલ જોગ આશ્રમ ગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ) ના સમાધિ સ્થળમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાધુ, સંત-મહંત તેમજ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જોગધ્યાનપૂરા આશ્રમ ખાતે યોજાનાર છે જેમાં વિશાળ સંખ્યામાં ભકતજનો પણ જોડાશે આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી (રાજકોટવાળા) દ્વારા કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવતભુષણ દ્વારા વિધીવિધાન પૂર્વક સંપન્ન થશે ત્યારે આ દિવ્ય મહોત્સવને માણવા તેમજ યજ્ઞ નારાયણના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News