મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ
Morbi Today
મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના
SHARE
મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના
મોરબીથી ઘણા લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાંથી બે પિતરાઈ ભાઈઓ ચારધામની યાત્રા બાઈક ઉપર કરવાનો નિર્ણય કરેલ છે અને તેઓ તા. ૮/૫ ના રોજ મોરબીથી રમણીકલાલ લોરિયા અને તેમના પિતરાઈ ભાઈ નારાયણભાઈ સંઘાણી ચારધામની યાત્રા કરવા માટે રવાના થયેલ છે અને તેઓ હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની યાત્રા કરવાના છે આ બંને ભાઈઓ એક મહિનામાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપશે અને અને વધુમાં તેઓની પાસેથી જાણવા મળે છે કે તેઓ માત્ર દર્શન કરવા માટે આ બાઇક યાત્રા ઉપર જઈ રહ્યા છે અને સૌપ્રથમ વખત તેઓ આટલી લાંબી બાઈક યાત્રાએ જઈ રહ્યા છે









