મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત ​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 9 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી જળ વ્યવસ્થાપન માટે મોરબીના લક્ષ્મીવાસ ગામનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં કરાયું સન્માન મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબીના લાલપર પાસે મનપાની ડમ્પિંગ સાઈટ 24 કલાક સગળતા ઘન કચરાથી સ્થાનિકો-ઉદ્યોગકારો ત્રાહિમામ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ


SHARE











મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી 'બ્યુટી પાર્લરમાં જાવ છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય યુવાને હાલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના ૩૩ વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે તેઓના પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (ઉમર ૨૯) વાળા ગત તા.૪-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.અંતે ગઈકાલે ધવલભાઇ દ્રારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે.જેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

પગપાળા જતા વૃદ્ધને બાઇક ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કરશનભાઈ વીરાભાઇ મકવાણા નામના ૭૪ વર્ષના વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રોડ ઉપર રેલ્વે ફાટક પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કરશનભાઈ મકવાણાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત બનાવની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.

ફીનાઇલ પી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની દિવ્યાબેન અશોકભાઈ વરાણીયા નામની ૧૬ વર્ષની સગીરા તેના ઘરે ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.હોસ્પિટલમાં સારવાર શરૂ કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવતા પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે દિવ્યાબેનએ ભૂલથી ફિનાઈલપી લીધું હતું.!






Latest News