મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

હળવદ યાર્ડ સામે ટ્રેન આડે પડતું મૂકતા યુવાનનું કમકમાટીભર્યુ મોત


SHARE







હળવદ યાર્ડ સામે ટ્રેન આડે પડતું મૂકતા યુવાનનું કમકમાટીભર્યુ મોત

 

હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપર ટ્રેન આડે ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા ભૌમિકભાઇ અલ્પેશભાઈ પટેલ (ઉમર ૨૩) નામના યુવાને હળવદ માર્કેટયાર્ડ સામેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી પસાર થઈ રહેલ ટ્રેન આડે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન સંદીપભાઈ પ્રવીણભાઈ રાછડીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે. આનંદપાર્ક હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના કે.એન.બાવળીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં તપાસ અધિકારી કનુભાઈ બાવળીયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, મૃતક યુવાન મૂળ રાણેકપર ગામનો વતની છે અને હાલ હળવદ યાર્ડમાં તેના સગાને ત્યાં નોકરીનું કામકાજ કરતો અને હળવદ ખાતે રહેતો હતો અને સાથેસાથે ક્રિકેટની ટુર્નામેન્ટ રમાડવાનું કામ કરતો હતો.દરમિયાનમાં તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નિપજયુ હતું.

વૃદ્ધાનું મોત

મોરબીના રામકૃષ્ણનગર શેરી નં-૫ માં રહેતા પદમાબેન રામજીભાઈ રાઠોડ (૬૦) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વૃદ્ધાના મોતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી હતી.






Latest News