ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ


SHARE











મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ

મોરબીમાં પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિના દિવસે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રા યોજાઇ હતી ત્યારે મોરબીના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામના નારા ગુંજી ઉઠયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું કાર્યક્રમ યોજાયો હતો જેનો પણ ભૂદેવ પરિવારોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી અને આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ પદે જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ છે તેમજ મહામંત્રી તરીકે ઋષિભાઇ દેવીપ્રસાદભાઈ મહેતા, ધ્વનિતભાઈ રાજેશભાઈ દવે અને હાર્દીકભાઇ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે તેમ ધ્યાનેશભાઈ રાવલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News