મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ ઝડપાયો, ઘરધણી સહિત બે શખ્સોની શોધખોળ


SHARE











મોરબીના કુલીનગરમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ ઝડપાયો, ઘરધણી સહિત બે શખ્સોની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર આશ્રમની સામેના ભાગમાં કુલીનગર-૧ માં રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૫ બોટલો મળી આવતા પોલીસે ૨૧૬૭૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી ત્યારે આરોપીઓ હાજર ન હોવાથી બે શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા મોહસીનભાઈ જુમાભાઈ માલાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧,૬૭૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ ઘરે હાજર ન હતા જેથી કરીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાજીદ કાદરભાઇ લધાણી અને મોહસીન જુમાભાઈ માલાણી જાતે મિયાણા રહે. બંને વીસીપરા ઘોળેશ્વર રોડ આશ્રમ સામે કુલીનગર-૧ વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજુભાઈ શૈલેષભાઈ સારેસા (૧૮) નામના યુવાનને તેના ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News