મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

ગત તા.૨૪-૫ ના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા આદ્ય ઋષિ મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સૃષ્ટિના આદ્ય પત્રકાર મહર્ષિ નારદજીને માનવામાં આવે છે.આ પ્રસંગે મોરબી શહેરના પત્રકાર બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ પત્રકાર મિત્રોની સાથે ગોષ્ઠિ કરી હતી અને સમાજ જીવનમાં સાચા પત્રકારત્વનું મહત્વ ઉચ્ચ સ્થાને છે તે અંગે વાતચીત કરી હતી.પત્રકારો સાથે ગોષ્ઠીના આ સુંદર કાર્યક્રમ બાદ ભોજન લઈને સૌએ આરએસએસ દ્વારા શિશુ મંદિરમાં ચાલતા પ્રારંભિક વર્ગની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમની સફળતા માટે જયદીપભાઈ કંઝારિયા, ચિરાગભાઈ ભોરણીયા, દિલીપભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News