મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

ગત તા.૨૪-૫ ના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા આદ્ય ઋષિ મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સૃષ્ટિના આદ્ય પત્રકાર મહર્ષિ નારદજીને માનવામાં આવે છે.આ પ્રસંગે મોરબી શહેરના પત્રકાર બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ પત્રકાર મિત્રોની સાથે ગોષ્ઠિ કરી હતી અને સમાજ જીવનમાં સાચા પત્રકારત્વનું મહત્વ ઉચ્ચ સ્થાને છે તે અંગે વાતચીત કરી હતી.પત્રકારો સાથે ગોષ્ઠીના આ સુંદર કાર્યક્રમ બાદ ભોજન લઈને સૌએ આરએસએસ દ્વારા શિશુ મંદિરમાં ચાલતા પ્રારંભિક વર્ગની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમની સફળતા માટે જયદીપભાઈ કંઝારિયા, ચિરાગભાઈ ભોરણીયા, દિલીપભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News