ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી


SHARE







મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીના એપાર્ટમેન્ટમાં વૃદ્ધે પોતાનું એક્ટિવા પાર્ક કરીને મૂક્યું હતું જે એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં વિન્ટેજવિલા એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૧ માં રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા જાતે પટેલ (૫૭)એ ચોરીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિન્ટેજ વીલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એચ ૬૭૭૭ પાર્ક કરીને મૂક્યું હતું જે એકટીવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મારા મારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા રસુલભાઈ દાઉદભાઈ દાવલિયા જાતે પીંજારા (૩૩) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

યુવાનને માર માર્યો

મોરબી નજીકના નવા જાંબુડીયા ગામે રહેતા કિશન તળશીભાઇ કેરવાડીયા (૨૭) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે તેના પત્ની પાયલબેન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News