માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ


SHARE

















મોરબીના છાત્રાલય રોડે કચરાના ઢગલા- ટ્રાફિકથી ત્રાહિમામ


મોરબીના હાર્દસમાં છાત્રાલય રોડ ઉપર નવા બસસ્ટેન્ડ પાછળના ભાગમાંનો વિસ્તાર કે જ્યાં ચોવીસે કલાક વાહનો નો આવરો જાવરો રહેતો હોય સ્કૂલ,કોલેજે જતા બાળકો આવતા જતા હોય ત્યાં સુપરમાર્કેટની બાજુમાં અને બરોબર નવા બસ્ટેન્ડની પાછળ મેઈન રોડ પર ઘણી વખત ફરિયાદ કરવા છતાં ત્યાંની સોસાયટીના રહીશો દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. તેમજ ત્યાં આજુબાજુના શોપિંગના દુકાનદારો અને ખાણીપીણીવાળાને ત્યાં અને તે એરિયામાં આવતા સફાઈકર્મીઓ દ્વારા મોટા કોથળા અને કચરાડોલ દ્વારા રોડ ઉપર કચરાના ઢગલા કરવામાં આવે છે.ત્યાં કચરો નકરવા આજુબાજુના દુકાનવાળાઓએ અને રહીશો દ્વારા ના પાડવા છતાં અને ત્યાં ટ્રેકટર કે મ્યુનિસિપાલટીની કચરાની ગાડી આવતી હોવા છતાં પણ સફાઈકર્મીઓ મેઈન રોડ ઉપર જ શેરીઓમાંથી એકત્રીત કરેલો કચરો ઠાલવે છે..! આ માટે મોરબીનું તંત્ર જ કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ સોશિયલ મીડિયા થકી પ્રજાજનોએ કરેલ છે.અત્યારે રોગચાળો વકરી રહ્યો છે તેમજ ડેન્ગ્યુ સહીતના રોગના કેશ વધ્યા છે ત્યારે તહેવાર ઉપર સફાઇ રહે અને રોગચાળો વધુ ન વકરે તે માટે કાંઈક રસ્તો કરવાની માંગ ત્યાંના વેપારીઓ અને સોસાયટીવાસીઓ કરી રહ્યા છે.




Latest News