હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ


SHARE







પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઇલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઇ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઇલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી જેમાં કોર્ટે કંપનીને મશીન માટે લીધેલ રકમને વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત છે કે, સરાયા ગામના વતની શ્યામ કેહાલ ફીડના પાર્ટનર મનહરભાઇ મોરડીયાએ આર.બી.આઇ. સર્ટિફાઇડ બોઇલરની જરૂરત હતી જેથી તેમણે પંજાબના જલંધરની કંપની ખન્ના કંપની પાસેથી ૧૪,૮૩,૭૩૨ ભરીને મશીન મંગાવ્યું હતું. તે બોઇલર આર.બી.આઇ. સર્ટિફાઇડ આવેલ નહીં. અને રાજકોટના આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ બોઇલર્સે તે અમાન્ય રાખેલ હતું. તેથી મનહરભાઇએ જંદધર ખન્ના કંપની પાસેથી પૈસા પરત માંગેલ હતા અને વારંવાર રજુઆત કરવા છતાં જવાબ ન મળતા મનહરભાઇએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો જેમાં ખન્ના કંપનીને કોર્ટે ૧૪,૮૩,૭૩૨ તેમજ ૮,૦૦૦ રૂપિયા ખર્ચના કેસ દાખલ કર્યાની તા. ૨૨/૬/૨૦૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવાનો આદેશ કરેલ છે.

કોઇપણ ગ્રાહકને વીમો-ફાઇન્સ કે અન્ય બાબતમાં અન્યાય થયો હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) ઉપ પ્રમુખ બળવંત ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદી જણાવવામાં આવેલ છે.






Latest News