મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ


SHARE











પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઇલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઇ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઇલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી જેમાં કોર્ટે કંપનીને મશીન માટે લીધેલ રકમને વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત છે કે, સરાયા ગામના વતની શ્યામ કેહાલ ફીડના પાર્ટનર મનહરભાઇ મોરડીયાએ આર.બી.આઇ. સર્ટિફાઇડ બોઇલરની જરૂરત હતી જેથી તેમણે પંજાબના જલંધરની કંપની ખન્ના કંપની પાસેથી ૧૪,૮૩,૭૩૨ ભરીને મશીન મંગાવ્યું હતું. તે બોઇલર આર.બી.આઇ. સર્ટિફાઇડ આવેલ નહીં. અને રાજકોટના આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ બોઇલર્સે તે અમાન્ય રાખેલ હતું. તેથી મનહરભાઇએ જંદધર ખન્ના કંપની પાસેથી પૈસા પરત માંગેલ હતા અને વારંવાર રજુઆત કરવા છતાં જવાબ ન મળતા મનહરભાઇએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો જેમાં ખન્ના કંપનીને કોર્ટે ૧૪,૮૩,૭૩૨ તેમજ ૮,૦૦૦ રૂપિયા ખર્ચના કેસ દાખલ કર્યાની તા. ૨૨/૬/૨૦૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવાનો આદેશ કરેલ છે.

કોઇપણ ગ્રાહકને વીમો-ફાઇન્સ કે અન્ય બાબતમાં અન્યાય થયો હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) ઉપ પ્રમુખ બળવંત ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદી જણાવવામાં આવેલ છે.






Latest News