જામનગરના છેતરપિંડીના ગુનાનો આરોપી મોરબીના ટીંબડી ગામ પાસેથી પકડાયો
મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત
SHARE
મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત
મોરબી જિલ્લામાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા યુવાનોના મૃત દેહને શોધીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાના કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ લોકેશન ઉપર તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા લોકોને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ નરસીભાઈ આગેચાણિયા (૪૦)ની બોડી મચ્છુ-૨ ડેમમાંથી કાઢી હતી, મિલેનિયમ પેપર મીલની બાજુમાં આવેલ કેનાલમાંથી આકાશ ચંદ્રપાલ વર્મા (25) રહે. મૂળ દેવગાવ (ઉત્તરપ્રદેશ) વાળાની બોડી કાઢી હતી અને માળીયા તાલુકાનાં રાજપરથી કુંતાસી જતા રસ્તા ઉપર આવેલ ચેકડેમમાંથી રામજીભાઈ રામાભાઇ પરમાર (38) રહે. કુંતાસી વાળાની બોડીને કાઢવામાં આવી હતી આમ એક જ દિવસમાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનના મોત નીપજયાં છે.