ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને માનસિક બીમારી તથા બીપી ની બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર એસિડ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા લીલાબેન ધનજીભાઈ માકાસણા (62) પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં એસિડ પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની પ્રકાશભાઈ અમૃતલાલ માકાસણા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાને 20 વર્ષથી માનસિક બીમારી હતી અને છેલ્લા 10 વર્ષથી બીપીની બીમારી છે જેથી બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર આ પગલું ભરેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News