મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ


SHARE











મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે મંગળવારે સવારે 10 વાગ્યાથી બંધ થયેલ છે અને હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી રોડનો એક ભાગ તૂટી ગયેલ છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તેના માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ અધિકારીઓને સૂચના આપેલ છે ત્યારે આ રોડ છેલ્લા 48 કલાકથી ભારે વાહનો માટે બંધ છે જો કે, આજે સવારથી નાના વાહનોની અવાર જવર એક સાઈડનો રસ્તો ચાલુ છે તેના ઉપરથી શરૂ કરવામાં આવેલ છે. અને જે બાજુનો રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવા માટે રોડ બંધ કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એકમચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર મંગળવારે ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને મંગળવારે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને બુધવારે બપોરે 2:00 વાગ્યા સુધી પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતું. જો કે, રસ્તા ઉપર એક સાઈડથી નાના વાહનોને પસાર કરી શકાય તેમ હતું.

મોરબી કચ્છ હાઇવે લગભગ 48 કલાકથી ભારે વાહનો માટે બંધ રાખવામા આવેલ છે. અને લગભગ 32 કલાક જેટલા સમય સુધી મચ્છુ પાણીનો પ્રવાહ રોડ ઉપરથી પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર બુધવારે વિઝીટમાં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓને સાથે રાખીને પહેલા પોતાની ગાડી ત્યાંથી પસાર કરી હતી

અત્રે ઉલેખનીય છેકે, જે રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં સમય લાગે તેવી શ્ક્યતા છે જેથી કરીને આ રોડ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું પણ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. અને ગઇકાલે મંત્રીએ તેની ગાડી ત્યાંથી પસાર કરી ત્યાર બાદ મંત્રી દ્વારા અધિકારીઓને આ રોડ ઝડપથી શરૂ કરવા માટેની સૂચના આપેલ હતી જેથી હાલમાં નાના વાહનો જેવા કે બાઇક, કાર, ટ્રેક્ટર રિક્ષા વિગેરે જેવા વાહનોની ધીમીધારે નેશનલ હાઇવે રોડ ઉપર અવાર જવર શરૂ કરવામાં આવેલ છે જો કે, ભારે વાહનો માટે હજુ પણ રોડ બંધ જ છે






Latest News