મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને 70 હજારની ચોરી


SHARE











મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને 70 હજારની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા બે શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અને ઘરના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને રોકડા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા હિતેનભાઈ અરવિંદભાઈ પલાણ (45)એ હાલમાં અજાણ્યા બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે માણેક સોસાયટીમાં આવેલ તેમના રહેણાંક મકાનને બંધ હતું ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ કબાટમાંથી રોકડા રૂપિયા 70,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News