તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટમાં અચાનક જ બાંધકામનો ભાગ તુટી પડતા લાકડા અને નળીયાનો જમીન ઉપર ઢગલો, કોઇ જાનહાની નહી


SHARE











મોરબીની શાકમાર્કેટમાં અચાનક જ બાંધકામનો ભાગ તુટી પડતા લાકડા અને નળીયાનો જમીન ઉપર ઢગલો, કોઇ જાનહાની નહી

મોરબીમાં આવેલ શાકમાર્કેટમાં આજે બાંધકામનો રાજાશાહી સમયનો બનેલો ભાગ તૂટી પડ્યો હતો ત્યારે લાકડા અને નળિયા સહિતનો માચડો નીચે પડ્યો હતો જેથી લોકોના નાશભાગ મચી ગયેલ હતી જો કે, ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

મોરબી શહેરમાં રાજાશાહીના સમયમાં શાક માર્કેટ બનાવવામાં આવેલ છે. જે શાક માર્કેટ આજની તારીખે પણ કાર્યરત છે અને તેમાં વેપારીઓ થડા ઉપર બેસીને વેપાર કરતા હોય છે અને મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે થઈને આવતા હોય છે આ વર્ષો જૂની શાક માર્કેટમાં આજે બપોરના 12:00 વાગ્યાના અરસામાં બાંધકામનો એક ભાગ તૂટીને જમીન ઉપર પડ્યો હતો,

જો કે સદનસીબે ત્યારે ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી. પરંતુ સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી વિગત મુજજ જે જગ્યા ઉપર બાંધકામનો ભાગ તૂટી પડ્યો છે તે જગ્યાએ સામાન્ય રીતે થડા વાળા બે વેપારી બેસીને વેપાર કરતા હોય છે. પરંતુ આજે તે આવેલા ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આ અંગેની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને બાંધકામનો તૂટી પડેલો જે કાટમાળ હતો તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News