મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ સળગાવનાર કેબલ ઓપરેટરે સહિત બે ની ધરપકડ


SHARE











મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ સળગાવનાર કેબલ ઓપરેટરે સહિત બે ની ધરપકડ

મોરબીમાં આવેલ ઘનશ્યામ પ્લાઝામાં જીટીપીએલની ઓફિસના દરવાજાને કેબલ ઓપરેટરે જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી દીધી હતી જેથી કરીને જીટીપીએલનું સંચાલન સંભાળતા આધેડ દ્વારા હાલમાં એક કેબલ ઓપરેટર સહિત કુલ બે વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ શિવાલય હાઈટસ ખાતે રહેતા અને મોરબી જિલ્લામાં જીટીપીએલ કેબલ કનેક્શનનું સંચાલન સંભાળતા દિનેશભાઈ જયંતીલાલ પંડ્યા (56)એ મોરબી એ  ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુનેદ ગુલામહુસેન પીલુડિયા રહે. મહેન્દ્રપરા અને તેની સાથે આવેલ એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક ઘનશ્યામ પ્લાઝામાં તેઓની જીટીપીએલની ઓફીસ આવેલ છે અને જૂનેદ ગુલામહુસેન પીલુડિયા જે કેબલ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેની સાથે જોડાયેલ છે અને તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના 50 હજાર રૂપિયા માંગ્યા હતા જોકે, રૂપિયાની સગવડ ન હોવાથી ફરિયાદીએ તેને રૂપિયા આપવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેઓની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમની ઓફિસના દરવાજા ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી જેથી કરીને ઓફિસમાં અને દરવાજામાં 50,000 જેવી નુકસાની થયેલ હતી અને આ બાબતે જીટીપીએલના સંચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ જૂનેદ ગુલામહુસેન પીલુડીયા (30) રહે. મહેન્દ્રપરા -10 મોરબી અને સૈજાદ અનવરભાઇ બુખારી (30) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News