મોરબીના ભડીયાદ ગામે-જુના ઘુટુ રોડે જુગારની બે રેડ: એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો
SHARE
મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો
મોરબીના એસપી રોડ પાસે ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આ વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અલગ થીમ સાથે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત દરરોજના લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા લોકો સિદ્ધિવિનાય કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, હરનીશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને સન્નીભાઈ વ્યાસ તેઓના પરિવાર સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમના દીકરા ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે, ન માત્ર મોરબી શહેર પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી ભવ્ય અને અનોખું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં મોરબીમાં કરવામાં આવતું હોય છે જેનો ક્રેઝ તથા આકર્ષણ લોકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે.