મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો


SHARE





મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો

મોરબીના એસપી રોડ પાસે ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આ વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અલગ થીમ સાથે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત દરરોજના લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા લોકો સિદ્ધિવિનાય કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, હરનીશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને સન્નીભાઈ વ્યાસ તેઓના પરિવાર સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમના દીકરા ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે, ન માત્ર મોરબી શહેર પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી ભવ્ય અને અનોખું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં મોરબીમાં કરવામાં આવતું હોય છે જેનો ક્રેઝ તથા આકર્ષણ લોકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે.




Latest News