મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે: હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE













ટંકારાના લજાઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૧૭ સપ્ટેમ્બરના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ કુમાર પ્રાથમિક શાળા ખાતે  સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો યોજાનાર છે. જે અન્વયે ટંકારા તાલુકાના લજાઈ ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા નસીતપર, મોટા ખીજડીયા, અમરાપર, વીરપર, મહેન્દ્રપુર, નાના ખીજડીયા, ટોળ, સજ્જનપર, નાના રામપર, ઘુનડા (ખાનપર) લખધીરગઢ, ધ્રુવનગર, ઉમિયાનગર, નેસડા (ખાનપર) રાજાવડ, મેઘપરઝાલા ગજડી તથા વાઘગઢ નો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ ગામના લોકોએ આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૩ ઓક્ટોબરના રોજ જબલપુર ગામ ખાતે તથા ૧૮ ઓક્ટોબરના રોજ નેકનામ ગામ ખાતે તેમજ ૨૪ સપ્ટેમ્બરના રોજ ટંકારા ખાતે શહેરી કક્ષાએ કલસ્ટરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે જેનો પણ લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

 

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News