મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું


SHARE











મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું

મોરબીના લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે અને 10.04 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.

મોરબીમાં જે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતનમાં મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મૈયડા, કાનૂની સલાહના લીગલ સચિવ ડી.એ. પારેખ, પ્રિન્સિપાલ ફેમિલી જજ એ.એમ. વાનાણી તથા એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજ પંડ્યા સાહેબ તથા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને તેઓની હાજરીમાં પ્રી-લીટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના તેમજ હાઇકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ. અને ટ્રાફીકને લગતા ઈ-ચલણના કેસ આમ કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે. અને આ કેસનો નિકલ થતાં 10,04,06,275 નું લોક અદાલતના મધ્યમથી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. 






Latest News