મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

અબજ પ્રેમ કી ગજબ કહાની: ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરાવવાની ના કહેતા પ્રેમિકા સહિતના ચાર લોકોએ યુવાનના દાદી સહિતનાઓને માર માર્યો !


SHARE







અબજ પ્રેમ કી ગજબ કહાની: ટંકારાના લજાઈ ગામે પ્રેમ લગ્ન કરાવવાની ના કહેતા પ્રેમિકા સહિતના ચાર લોકોએ યુવાનના દાદી સહિતનાઓને માર માર્યો !

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વૃદ્ધાના પૌત્ર સાથે જે યુવતીને પ્રેમસંબંધ હતો તે યુવતીને લગ્ન કરાવી દેવાની વૃદ્ધા તથા તેના પરિવારજનોએ ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા વૃદ્ધા સાથે જપાજપી કરીને ઢીકાપાટુનો માર મરવામાં આવ્યો હતો તેમજ તેના પરિવારજનોને પણ ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધા સહિતાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઇ ચાવડા (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, કવિતાબેન હીરાભાઈ ચૌહાણ અને મિલન પોપટભાઈ જાદવ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ફરિયાદીના પૌત્ર રાહુલને આરોપી લક્ષ્મીબેન ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોય ફરિયાદી તથા સાહેદોએ લગ્ન કરવાની ના પાડતા હતા જે તેને સારું લાગ્યું ન હતું જેથી લક્ષ્મીબેન, સુરેશભાઈ અને સવિતાબેને ફરિયાદી વૃદ્ધા સાથે જપજપી કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને મૂઢ ઇજાઓ કરી હતી તેમજ સુરેશભાઈએ સાહેદ અમૃતભાઈને લાકડાના ધોકા વડે પગના ભાગે માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મિલન જાદવે અમૃતભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News