મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના  વાવડી રોડ  પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના  પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં  શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાના વક્તા તરીકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે  દ્વારા તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા તા 26/9 ને ગુરુવારથી શરૂ થશે અને તા.2/10 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો  ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે. આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો. 8000911444 ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવ્યુ છે એને આ કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News