મોરબીમાં રિસમાણે બેઠેલ પત્ની ઉપર ચાઇના કટરની બ્લેડ વડે જીવલેણ હુમલ કરનાર પતિની ધરપકડ-જેલ હવાલે
મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાના વક્તા તરીકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા તા 26/9 ને ગુરુવારથી શરૂ થશે અને તા.2/10 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે. આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો. 8000911444 ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવ્યુ છે એને આ કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.