હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના  વાવડી રોડ  પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના  પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં  શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાના વક્તા તરીકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે  દ્વારા તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા તા 26/9 ને ગુરુવારથી શરૂ થશે અને તા.2/10 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો  ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે. આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો. 8000911444 ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવ્યુ છે એને આ કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News