મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના  વાવડી રોડ  પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના  પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં  શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાના વક્તા તરીકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે  દ્વારા તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા તા 26/9 ને ગુરુવારથી શરૂ થશે અને તા.2/10 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો  ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે. આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો. 8000911444 ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવ્યુ છે એને આ કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News