વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન


SHARE











મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન

મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની  109 મુર્તિ એકત્રીત કરીને મોરબીના શોભેશ્વર રોડે આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને તેમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે વિઘનહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. મોરબી પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, દર વખતે મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ સાથે લોકો દુંદાળા દેવને વિદાય આપતા હોય છે તેવી જ રીતે આ અવર્ષે પણ લોકોએ ભીની આંખે ગણેશજીની વિદાય આપી હતી.






Latest News