મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન


SHARE





મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન

મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની  109 મુર્તિ એકત્રીત કરીને મોરબીના શોભેશ્વર રોડે આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને તેમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે વિઘનહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. મોરબી પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, દર વખતે મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ સાથે લોકો દુંદાળા દેવને વિદાય આપતા હોય છે તેવી જ રીતે આ અવર્ષે પણ લોકોએ ભીની આંખે ગણેશજીની વિદાય આપી હતી.




Latest News