ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

 મોરબીના મૃતક પોલીસ કર્મચારીના પરિવારને ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી 30.10 લાખની રકમનો વીમો મંજુર થયો


SHARE













 મોરબીના મૃતક પોલીસ કર્મચારીના પરિવારને ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી 30.10 લાખની રકમનો વીમો મંજુર થયો

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની વસંતભાઈ મિયાત્રા પોલીસ કર્મચારી હોઈ અકસ્માત થતાં અવસાન થયુ હતુ.વીમા કંપની અને બેંકે વીમો આપવાની ના પાડતા તેમના પુત્રી દિયાબેન મિયાત્રાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે રૂા.૩૦, ૧૦૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૧-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે કેરાળીના વતની વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતાં.તેઓનો અકસ્માત થતાં તેઓ બેભાન અવસ્થામાં મરણ પામ્યા હતા.તેમનો વિમો યુનાઈટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાુ. માં વિમો હતો.જેનુ પ્રીમીયમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્રારા ભરાતુ હતુ. વસંતભાઈ મિયાત્રાના વારસદારોએ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ હતાં પરંતુ વીમા કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ કોઈ કાર્યવાહી કરેલ નહી અને વીમો ચુકવેલ નહી.વસંતભાઈની દિકરી દિયાબેન મિયાત્રાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરીને તેઓ દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ.નામદાર ન્યાયમૂર્તિએ નોંધ લીધી કે વીમા કંપની અને બેંકની સેવામાં ખામી છે.માટે દિયાબેનને રૂા.૩૦,૧૦,૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) તા.૨૧-૯-૨૨ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ આપેલ છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News