આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા મોરબી અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બગથળા ગામે પટેલ સમાજવાડી ખાતે તા.૨૦/૯ ના સવારના ૦૯:૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ૧૮ થી ૬૫ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. હોય તેવી કોઈ પણ વ્યક્તિ, હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તેવી વ્યક્તિ દર ત્રણ મહીને રક્તદાન કરી શકે છે. દાન તો ગુજરાતીના લોહીમાં જ છે, તો લોહીનું દાન કેમ નહિ ? જેથી રક્તદાન કરો,રક્તદાન કરાવો, કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.ની ઉક્તિને સાર્થક કરવા જરૂરથી રક્તદાન કરીએ.

બગથળા  ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોવાથી દરેક ગામમાંથી લોકોને રક્તદાન કરવા અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.






Latest News