આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા અધિકારી-ભાજપને કોંગ્રેસની ટકોર


SHARE













મોરબીની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા અધિકારી-ભાજપને કોંગ્રેસની ટકોર

નદીને આપડી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય કહેવામાં આવી છે. અને લોકો આજની તારીખે પણ નદીનું પૂજન અર્ચન કરતાં હોય છે. જો કે, મોરબીની કાલન્દ્રી નદીમાં કચરાના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખવામાં આવે છે જેથી કરીને આ નદી તેનું અસ્તિત્વ ટકાવી રાખવા જાણે જજુમી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા નદી બુરવાની આ પ્રવૃતિને બંધ કરાવશે કે કેમ તે જોવું રહ્યું છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન)નાં પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મોરબીની માળીયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી નદીમાં હાલમાં ભયંકર ગંદકી અને કછર તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરી દેવામાં આવેલ છે તેમજ કેટલાક દબાણો પણ ત્યાં થઈ ગયેલ છે જો આવુને આવું ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહિ રહે. અને જો ખરેખર એવું થાય તો જે પાણીનો પ્રવાહ ચોમાસામાં આ નદીમાં વહે છે તે પાણીનો રસ્તો બંધ થવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થાય તેવી પણ શ્ક્યતા છે.

શહેરની નજીક સારા વિસ્તારમાં ગણાતા મહેન્દ્રનગરમાં નદીના કાંઠે છેલ્લા વર્ષોમાં અનેક બહુમાળી ઇમારતો બનાવવામા આવેલ છે જેમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે અને નદીમાં ગંદકી હોવાના લીધે મચ્છરનો ઉપદ્રવમ દુર્ગંધ સાહિતના અનેક પ્રશનોથી લોકો પરેશાન છે ત્યારે ચોમાસામાં દુર્ઘટના કે પછી ગંદકીના લીધે રોગચાળો ન ફેલાઈ તે માટે જવાબદાર અધિકારી અને તંત્ર દ્વારા નદીની સફાઈ માટે અને દબાનોને દૂર કરવા માટે કામ કરવું જોઈએ તેવી માંગ કરી છે.

વધુમાં તેમણે કહ્યું છેકે, અત્યારે જે રીતે ભાજપના નેતા સ્વચ્છતા અભિયાનના નાટકો કરી રહ્યા છે તે બંધ કરીને ખરેખર ગંદકી દૂર કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો આ નદીની ગંદકીને દૂર કરવા અહીંયા સ્વચ્છતા અભિયાન ચલાવે તો તેમાં અમે પણ જોડાશું અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહિ કરવામાં આવે તો આવનાર દિવસોમાં મોરબીની પ્રજાને સાથે રાખી મોટું જનઆંદોલન ઉભુ કરશું તેવી ચીમકી દેવેન્દ્રસિંહ જાડેજાએ ઉચારેલ છે.






Latest News