માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ


SHARE













મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેની કરીને યુવતીની માતા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નં-2 માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ જાતે પ્રજાપતિ (45)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 17/9/2024 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં તેની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (21) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માર્કેટયાર્ડ સામે આવેલ બજરંગ સોસાયટીમાં ગુરુકૃપા એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરેન્દ્રભાઈ વસંતભાઈ ભીમાણી (36) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા શેરી નં- 15માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુભાઇ વાસુદેવભાઈ મકવાણા (55)ને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News