આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ


SHARE













મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેની કરીને યુવતીની માતા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નં-2 માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ જાતે પ્રજાપતિ (45)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 17/9/2024 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં તેની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (21) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માર્કેટયાર્ડ સામે આવેલ બજરંગ સોસાયટીમાં ગુરુકૃપા એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરેન્દ્રભાઈ વસંતભાઈ ભીમાણી (36) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા શેરી નં- 15માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુભાઇ વાસુદેવભાઈ મકવાણા (55)ને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News