મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભંગારના ગેરકાયદેસર ડેલા દૂર કરવા કલેક્ટરની અધિકારીઓને સૂચના !
માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત
SHARE
માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત
માળીયા (મિ.) તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે જેમાં વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડામાં પીવાનું પાણી પુરતા પ્રમાણમા આવતું નથી અને ગેરકાયદેસર કનેક્શન લઈને પાણી ખેંચી લેવામાં આવે છે જેથી લોકો હેરાન છે માટે આ કનેકશન દુર કરવા કલેકટરને ગામ પંચાયતના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે, છેવાડાના વિસ્તારમાં ગામડાઓમાં પીવા માટેના પાણીની કાયમી સમસ્યા છે અને તેના માટે પાણી પુરવઠાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરીને જુદાજુદા ગામનો પાણીનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા માટેની માંગ કરેલ છે.