મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી

૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી અર્થે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીસરા ગામે આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળ ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ ધ્વજવંદન પ્રોટોકોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામી તેમજ મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા અને મંડપ નિરીક્ષણ સહિતની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું ચકાસણી-નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા. આ રિહર્સલ દરમિયાન પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તથા સંબંધિત અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી કચેરીઓમાં તિરંગા રોશનીનો ઝગમગાટ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોરબી જીલ્લામાં કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સેવાસદન, જિલ્લા પંચાયત સહિતની વિવિધ કચેરીઓ અને સરકારી બિલ્ડીંગો તેમજ શહેર અને જિલ્લામાં આવેલા સ્મારકોને તિરંગા રોશનીનો શણગાર કરવામાં આવેલ છે જેથી સરકારી કચેરીઓ ઝગમગી ઉઠી છે






Latest News