મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વૃદ્ધનો આપઘાત: મૃતકની પત્નીએ સુસાઇટ નોટ આધારે કરી 15 સામે ફરિયાદ, ચારની ધરપકડ


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વૃદ્ધનો આપઘાત: મૃતકની પત્નીએ સુસાઇટ નોટ આધારે કરી 15 સામે ફરિયાદ, ચારની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જો કે, આપઘાત કરતા પહેલા વૃદ્ધે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતક વૃદ્ધના પત્ની દ્વારા 15 શખ્સોની સામે તેના પતિને મરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ચાર આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસ્તિ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદમાં જે 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે તેમાં યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્ર ભાઈ લાલજીભાઈ ભોજાણી, યોગેશભાઈ મિસ્ત્રી, સવજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજસિંહ, નવીનભાઈ હીરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારીયા, સમીરભાઈ પંડ્યા, લલિત મીરાણી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે અને આ 15 શખ્સો પૈકીના ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી (61) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી (58) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (61) રહે. શનાળા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર (65) રહે. મોરબી વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News