હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન દિવ્યાંગ હોય તેને શ્વાસની તકલીફ હતી અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી તેવામાં વતનમાં પૈસા મોકલવાના હતા જેના ટેન્શનમાં આવી જતાં તેને કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ જેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશ્વજિત સુધીરચંદ્ર બોઝ (25) નામના યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ઇન્દ્રજીત કપિલદેવ પ્રસાદ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેને શ્વાસની તકલીફ હતી તેમજ તે દિવ્યાંગ હતો જેથી તે વધુ કામ કરી શકતો ન હતો અને વતનમાં પૈસા મોકલવાના હતા જેથી તેને માનસિક ટેન્શન રહેતું હતું અને તેનાથી કંટાળીને આ યુવાને પોતે પોતાની જાતે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News