મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













વાંકાનેર: વતનમાં પૈસા મોકલાવવાના ટેન્શનમાં ટ્રેન આડે પડતું મૂકીને યુવાને જીવન ટૂંકાવ્યું

મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન દિવ્યાંગ હોય તેને શ્વાસની તકલીફ હતી અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી તેવામાં વતનમાં પૈસા મોકલવાના હતા જેના ટેન્શનમાં આવી જતાં તેને કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ જેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશ્વજિત સુધીરચંદ્ર બોઝ (25) નામના યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ઇન્દ્રજીત કપિલદેવ પ્રસાદ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેને શ્વાસની તકલીફ હતી તેમજ તે દિવ્યાંગ હતો જેથી તે વધુ કામ કરી શકતો ન હતો અને વતનમાં પૈસા મોકલવાના હતા જેથી તેને માનસિક ટેન્શન રહેતું હતું અને તેનાથી કંટાળીને આ યુવાને પોતે પોતાની જાતે ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News