મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

આને કહેવાય રામ ભરોસે: મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં વિકરાળ આગ, રાજકોટ-જામનગરથી ફાયરની ટીમો મંગાવી


SHARE













આને કહેવાય રામ ભરોસે: મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં વિકરાળ આગ, રાજકોટ-જામનગરથી ફાયરની ટીમો મંગાવી

 મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે રોયલ પોલિપેક નામના કારખાનામાં કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની છે અને આ આગ લાગવાની ઘટના વિશે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર ફાઈટર સાથે હાલમાં સ્થળે પહોંચ્યા છે અને કારખાનાની અંદર લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને હાલમાં રાજકોટ તેમજ જામનગરથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.

મોરબીના નવલખી રોડ ઉપર રોયલ પોલીપેકનું કારખાનું આવેલ છે તેમાં આગ લાગી હોવા અંગેની જાણ મોરબી નગરપાલિકાના કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં જવા માટે રવાના થઈ હતી અને સ્થળ ઉપર પહોંચીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને આગ કાબુમાં આવશે ત્યાં સુધીમાં બહુ મોટું નુકસાન કારખાનેદારને થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે કારણ કે મોરબી નગરપાલિકા પાસે જે ફાયરના વાહનો છે તે ઉપરાંત માળીયા અને હળવદથી પણ ફાયરની ટીમને ત્યાં બોલાવવામાં આવી છે અને હજુ પણ આગ કાબૂ બહાર છે જેથી કરીને હવે રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી છે

મોરબીમાં અધ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બને અને અધ્યતન સાધન સામગ્રી આપવામાં આવે તેના માટેની છેલ્લા પાંચ વર્ષની અંદર અનેક વખત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કમનસીબે આજ દિવસ સુધી અહીંના ઉદ્યોગકારો તેમજ સામાન્ય લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામા આવેલ નથી જેથી કરીને ટાંચા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં કરવા માટેની કામગીરી કરવામાં આવેલ છે અને મોટાભાગે મોટી દુર્ઘટના હોય ત્યારે બહારથી ફાયરના સાધનો તથા ટીમોને બોલાવવામાં આવે ત્યારે બાદ જ પરિસ્થિતિ કાબૂમાં આવતી હોય છે આવું કેટલા વર્ષ સુધી હજુ ચાલશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે






Latest News