ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી


SHARE













મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી

મોરબીના શનાળા રોડે આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં જિલ્લા કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ખાસ ચાલુ વર્ષની કારોબારીની મુદત તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ પૂર્ણ થાય છે જેથી કરીને તમામ હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા સર્વાનુમતે નવી કારોબારીની બિનહરીફ રચના કરવામાં આવી છે. જેમા પ્રમુખ, મહામંત્રીની આ ચોથી ટર્મમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ અન્ય હોદ્દાદારો અને કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અને નવનિયુક્ત હોદેદારો અને કારોબારીમાં પ્રમુખ ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રીમાં વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખમાં બાબુલાલ એલ. પીઠીયા અને સચિનભાઈ એસ. કામદાર, સહમંત્રીમાં મહેન્દ્રભાઈ વી. ક્યોટ અને સમસુદ્દીન યુ. માથકિયા, સંગઠનમંત્રીમાં પાલાભાઈ કે. વરૂ, કોષાધ્યક્ષમાં વરજાંગભાઈ વી. ચોપડા,  અન્વેષકમાં અનિલભાઈ એચ. કૈલા, કાર્યાલયમંત્રી વિનોદભાઈ આર. કૈલા, રાજ્ય કારોબારી વનરાજભાઈ એ. ડામોર તેમજ કારોબારી સભ્યમાં લખુભા. એ. ગોહિલ, એચ.એ. કડીવાર, પી.પી. લાખણોત્રા અને એસ.એ. શેરસીયાનો સમાવેશ કરેલ છે.






Latest News