ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે


SHARE













મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે

મોરબીથી યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ લઈ લીધો હોવાની શંકા રાખીને તેના મિત્રે છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે હત્યાના બનાવની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનાના કામે વપરાયેલ હથિયાર  અને આરોપીના કપડાં પણ પોલીસે કબજે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કેમોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે જય રહ્યા હતા ત્યારે કાર ઉભી રાખતની સાથે જ ઈરફાન દાઢીએ મોબાઈલ મૃતક અને તેની સાથે રહેતા તેના મિત્રે લઈ લીધો હોવાની શંકા રાખીને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈજગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી.

જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકેટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હત્યા તેમજ એટ્રોસીટીના આ ગુનામાં એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમના દિલીપભાઇ ચૌધરી અને મેહુલભાઈ ઠાકર દ્વારા આરોપી ઇરફાન ઉર્ફે દાઢી ગુલામભાઇ જામ જાતે મીયાણા (25) રહે. હાલ ધરમપુર મોરબી મૂળ રહે માળીયા વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપી પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર અને આરોપીના કપડાં પોલીસે કબ્જે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News