મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક એસટીમાં બેઠેલા મુસાફરનો પાંસળીનો ભાગ બસની સીટમાં અથડાતાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામ પાસેથી પસાર થતી એસટીની બસમાં બેઠેલા યુવાનનો છાતીનો ભાગ બસની સીટ સાથે અથડાતા તેને પાંસળીના ભાગે ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા ગમજીભાઈ નાયકાભાઈ સંગોળ (45) નામનો યુવાન મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસેથી એસટીની બસ પસાર થઈ રહી હતી તે એસટીની બસમાં બેઠેલ હતો દરમ્યાન કોઈ કારણોસર એસટી બસની સીટ સાથે તેનો પાંસળીનો ભાગ અથડાતાં તે યુવાનને પાંસળીના ભાગે ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભલાભાઇ ચંદુભાઈ રાઠોડ (48) નામના યુવાનને તેના ભત્રીજા વિશાલ રાજુભાઈ સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા ભરતભાઈ વાઘજીભાઈ રાઠોડ (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી છે






Latest News