મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી


SHARE







ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડી કરનારાઓએ એક મોટા બુલિયન વેપારી સાથે 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો હતો. આ પછી તેણે વેપારીને નકલી નોટો આપી દીધી હતી જેથી કરીને સમગ્ર ઘટના સામે આવેલ છે અને આ નકલી નોટ પર ગાંધીજીના ફોટોની બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો મૂકવામાં આવેલ છે.

ગુજરાતમાં સોનાની ખરીદીનો 1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે અનુપમનું ચિત્ર છપાયેલું હતું. બેંકોમાં જે રીતે કરન્સી બંડલ બનાવવામાં આવે છે. એ જ રીતે, તેઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. અને આ બંડલ ઉપર બેંકના નામ સાથે પણ ગફલો કરેલ છે અને જેમાં સીલ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે Start Bank of India લખેલું છે ! આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. અને પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.

પોલીસ પાસેથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે માણેક ચોક ખાતે આવેલા બે વેપારીઓ વચ્ચે 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું તેવી માહિતી પ્રકાશમાં આવી છે.  સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું નક્કી થયું હતું. ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. અને આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને 1.30 કરોડની ચિલ્ડ્રન નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વેપારીને થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી






Latest News