મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી


SHARE











ભારે કરી: ગુજરાતમાં ગાંધીજીના ફોટો વાળી ચલણી નોટના બદલે અભિનેતાના ફોટો વાળી નકલી નોટથી 1.60 કરોડના સોનાની ખરીદી

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડી કરનારાઓએ એક મોટા બુલિયન વેપારી સાથે 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો હતો. આ પછી તેણે વેપારીને નકલી નોટો આપી દીધી હતી જેથી કરીને સમગ્ર ઘટના સામે આવેલ છે અને આ નકલી નોટ પર ગાંધીજીના ફોટોની બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો મૂકવામાં આવેલ છે.

ગુજરાતમાં સોનાની ખરીદીનો 1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે અનુપમનું ચિત્ર છપાયેલું હતું. બેંકોમાં જે રીતે કરન્સી બંડલ બનાવવામાં આવે છે. એ જ રીતે, તેઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. અને આ બંડલ ઉપર બેંકના નામ સાથે પણ ગફલો કરેલ છે અને જેમાં સીલ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે Start Bank of India લખેલું છે ! આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. અને પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.

પોલીસ પાસેથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે માણેક ચોક ખાતે આવેલા બે વેપારીઓ વચ્ચે 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું તેવી માહિતી પ્રકાશમાં આવી છે.  સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું નક્કી થયું હતું. ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. અને આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને 1.30 કરોડની ચિલ્ડ્રન નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વેપારીને થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી






Latest News