મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી-2024 યોજાઇ
SHARE
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી-2024 યોજાઇ
મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, મોરબી મહિલા પોલીસ મથકના પીઆઇ પી.એચ. લખધીરકા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ તકે કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામીના સુમધુર સ્વરના સથવારે અવનવાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. તો કોમેડિયન વિજૂડી અને રાજીયો ઉપસ્થિત રહ્યા હતા અને તેને હાસ્યની રમઝટ બોલાવી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. 20 જાન્યુઆરી 2025ના રોજ તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્નમાં કરાવવામાં આવશે તેના માટે જે ખર્ચ થશે તેમાં વેલકમ નવરાત્રિમાં થયેલ આવકનો ઉપયોગ કરવામાં આવશે. અને વધુમાં તેઓએ સમુહલગ્નમાં દાન આપવા તથા દાતા તરીકે નામ નોંધાવવા માટે મો. 9586052226 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.