મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ


SHARE









ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ

હાલમાં પ્રસાદના વિવાદને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેવામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમના મહંત દ્વારા ભારત સરકારને અપીલ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ ન રાખે અને ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ-સંતો અને મહંતોને સોંપશે તો ભવિષ્યમાં કોઈ આપતી નહીં આવે તેવું તેમણે જણાવ્યુ છે.

થોડા સમય પહેલા તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને હવે તો ગુજરાત સહિત દેશભરના મંદિરોના પ્રસાદ સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે જેથી કરીને નમૂના લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના બેલા નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે થોડા દિવસો પહેલા જ્યારે ભાગવત સપ્તાહ ચાલુ હતી ત્યારે ત્યાં આવેલા દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સહદાનંદ દ્વારા પણ ધાર્મિક સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ તેવી ટકોર કરવામાં આવી હતી

ત્યારબાદ જો વાત કરીએ તો મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસ બાપુ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી છે અને ખાસ કરીને મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ નહીં પરંતુ ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપવામાં આવે તો હાલમાં જેવા પ્રશ્નો ઊભા થયેલ છે તેવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થશે નહીં અને કોઈ આપતી આવશે નહીં તેવી તેમણે લાગણી વ્યક્ત કરી છે.






Latest News