સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ


SHARE













ભારતના તમામ મંદિરોની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપશે મોરબીના મહંત નિરંજનદાસ બાપુની ભારત સરકારને અપીલ

હાલમાં પ્રસાદના વિવાદને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેવામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમના મહંત દ્વારા ભારત સરકારને અપીલ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ ન રાખે અને ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ-સંતો અને મહંતોને સોંપશે તો ભવિષ્યમાં કોઈ આપતી નહીં આવે તેવું તેમણે જણાવ્યુ છે.

થોડા સમય પહેલા તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને હવે તો ગુજરાત સહિત દેશભરના મંદિરોના પ્રસાદ સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે જેથી કરીને નમૂના લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના બેલા નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે થોડા દિવસો પહેલા જ્યારે ભાગવત સપ્તાહ ચાલુ હતી ત્યારે ત્યાં આવેલા દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સહદાનંદ દ્વારા પણ ધાર્મિક સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ તેવી ટકોર કરવામાં આવી હતી

ત્યારબાદ જો વાત કરીએ તો મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસ બાપુ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી છે અને ખાસ કરીને મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓમાં સરકારનું નિયંત્રણ નહીં પરંતુ ભારતમાં જેટલા પણ મંદિરો આવેલ છે તે તમામ ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા સાધુ, સંતો અને મહંતોને સોંપવામાં આવે તો હાલમાં જેવા પ્રશ્નો ઊભા થયેલ છે તેવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થશે નહીં અને કોઈ આપતી આવશે નહીં તેવી તેમણે લાગણી વ્યક્ત કરી છે.




Latest News