મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત


SHARE











વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

તાજેતરમાં સોમનાથમાં મોટા પ્રમાણમા દબાણોને દૂર કરવામા આવેલ છે ત્યારે વાંકાનેરમાં વર્ષો જૂના દબાણો આવેલ છે તે દબાણોને દૂર કરવા અને પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા ઉપર વેચાતા નોનવેજ બાબતે પગલાં લેવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વીસીપરા તરફ જતાં રોડ પર વાંકાનેર પાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને કોઈપણ જાતની મંજૂરી, લાઈસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. અને આ રસ્તો જાહેર માર્ગ હોય આ પ્રકારનું વેચાણ કરવું યોગ્ય નથી. અને હાલ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વાજબી નથી. નથી દબાણો દુર કરીને નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અગાઉ તેઓએ વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી મહાદેવ સોસાયટી સામે નોનવેજનું વેચાણ થતું હોવાની જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ એવું પણ જણાવ્યુ છે કે, ગીર સોમનાથના કલેક્ટર દ્વારા 100 એકરથી વધારે જમીન ઉપરથી દબાણ દૂર કરલે છે તો સત્તાની રૂએ વાંકાનેર શહેરમાં દબાણ દુર કરીને ગેરકાયદે નોનવેજનો વેપાર અને કતલખાના બંધ કરાવવામાં આવે તે અનિવાર્ય છે કેમ ન કરી શકો ?






Latest News