મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત


SHARE













વાંકાનેર પાલિકાની હદમાં સરકારી જમીન ઉપરથી નોનવેજના હાટડા હટાવવા ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

તાજેતરમાં સોમનાથમાં મોટા પ્રમાણમા દબાણોને દૂર કરવામા આવેલ છે ત્યારે વાંકાનેરમાં વર્ષો જૂના દબાણો આવેલ છે તે દબાણોને દૂર કરવા અને પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા ઉપર વેચાતા નોનવેજ બાબતે પગલાં લેવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વીસીપરા તરફ જતાં રોડ પર વાંકાનેર પાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને કોઈપણ જાતની મંજૂરી, લાઈસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. અને આ રસ્તો જાહેર માર્ગ હોય આ પ્રકારનું વેચાણ કરવું યોગ્ય નથી. અને હાલ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વાજબી નથી. નથી દબાણો દુર કરીને નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અગાઉ તેઓએ વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી મહાદેવ સોસાયટી સામે નોનવેજનું વેચાણ થતું હોવાની જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ એવું પણ જણાવ્યુ છે કે, ગીર સોમનાથના કલેક્ટર દ્વારા 100 એકરથી વધારે જમીન ઉપરથી દબાણ દૂર કરલે છે તો સત્તાની રૂએ વાંકાનેર શહેરમાં દબાણ દુર કરીને ગેરકાયદે નોનવેજનો વેપાર અને કતલખાના બંધ કરાવવામાં આવે તે અનિવાર્ય છે કેમ ન કરી શકો ?








Latest News