હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા તે પૈકીનાં એક આરોપીની વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરલે છે

મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતાએ ગત 20/9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો ત્યાર બાદ મૃતક હરેશભાઈએ લખેલ સ્યુસાઇડ નોટના આધારે 15 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે ગીરીશભાઈ કોટેચાનું નામ લખ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ તેની મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી માહિકા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપી ગીરીશભાઈ છબીલદાસ કોટેચાના રૂપિયા 25,000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા તેમજ મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.






Latest News