ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર


SHARE













મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલા એક આરોપીના જામીન મંજૂર

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા તે પૈકીનાં એક આરોપીની વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરલે છે

મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતાએ ગત 20/9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો ત્યાર બાદ મૃતક હરેશભાઈએ લખેલ સ્યુસાઇડ નોટના આધારે 15 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે ગીરીશભાઈ કોટેચાનું નામ લખ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ તેની મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી માહિકા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપી ગીરીશભાઈ છબીલદાસ કોટેચાના રૂપિયા 25,000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા તેમજ મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.






Latest News