મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી


SHARE















મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરવેજીટેબલ રોડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨ જી ઓક્ટોબર 'સ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવણી કરવા સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કેગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા આપણે સૌ સ્વચ્છાગ્રહી બનીએ અને ગમે ત્યાં કચરો ન ફેકવા માટે સંકલ્પ કરીએ. સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો અત્યંત જરૂરી છે. ઉપરાંત ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે પણ મહત્વનું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવાની બાબતને મહત્વ આપતા તેમણે જણાવ્યું હતું કેપ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી જેથી પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી દૈનિક વપરાશમાં કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે અને લગભગ દરેક ગામડા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં ગાંધીજીના મોરબી જિલ્લા સાથેના સંબંધોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કેગાંધીજીના પિતા કરમચંદ ગાંધી વાંકાનેર સ્ટેટમાં દિવાન હતા જેથી ગાંધીજીનો મોરબી જિલ્લા સાથેનો સંબંધ બહુ જૂનો અને મહત્વનો છે. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપી જીવનમાં સ્વચ્છતાના મહત્વની વાત પર ભાર મૂક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેમહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા) ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓકટોબરને 'સ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવણી કરવામાં આવી છે. આ સ્વચ્છતા પખવાડિયાની મોરબી જિલ્લામાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે એવોર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ પંચમુખી હનુમાનજી પાસે વેજીટેબલ રોડ પર રસ્તાની સફાઈ કરી હતી તથા પંચમુખી હનુમાનજી મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અને આ તકે કલેક્ટર કે.બી. ઝવેરીડીડીઓ જે.એસ. પ્રજાપતિમોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News