મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો
સુરતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર થયેલ હુમલાના બનાવમાં ફરિયાદ નોંધવા મોરબી કલેક્ટરને આવેદન પાઠવ્યું
SHARE








સુરતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર થયેલ હુમલાના બનાવમાં ફરિયાદ નોંધવા મોરબી કલેક્ટરને આવેદન પાઠવ્યું
માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ વધી રહ્યું છે ત્યારે આ બાબતે મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સુરતમાં એક તલાટી કમ મંત્રીએ હુમલો કરાવ્યો હતો તેના વિરુદ્ધમાં દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવે છે અને પગલાં લેવાની માંગ કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપીને પગલાં લેવાની માંગ કરેલ છે.
દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ માહિતી માગીને તે જાણી શકાય છે અને જ્યાર થી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યાર થી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલી છે. ત્યારથી માહિતી માગતા આરટીઆઇ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે . અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદાર ને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે, ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવે છે, તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

