મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો
SHARE
મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો
મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવાસ યોજનાની અંદર જય શ્રી આવાસ વાળી મેલડી મા નુ મંદિરે છેલ્લા દોઢ વર્ષથી બનાવવામાં આવેલ છે અને ત્યાં રવિવારે મહા પ્રસાદ કરવામાં આવે છે અને મંદિરે માહાનવ મેરામણ ઉભરાય છે ત્યારે ત્યાં જ વસવાટ કરતા વર્ષો થયા માતાજીની પૂજા અર્ચના કરતા ભુવા પ્રદિપસિંહ ચાવડાને મનમાં વિચાર આવ્યો કે, હરિદ્વારની અંદર એક માં મેલડીના નામે હરિદ્વારમાં મોટી વિશાળ જગ્યામાં જય શ્રી આવાસની મેલડી માં ધરમશાળા બનાવવાનું ટૂંક સમયમાં આયોજન કર્યું છે અને તે માટે અત્યારે માના ગરબા નવરાત્રીના સમયે એક મંદિરે માનવ મેરામણ ઉભરાતો હોય છે. ત્યારે ધરમશાળાનો 10 ફૂટનો વિશાળ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે મોરબીની જનતાને ધરમશાળા પ્રોજેક્ટ જાણવા માટે સ્થળ સનાળા બાયપાસ દલવાડી સર્કલ કેનાલ વાળા રસ્તે આવાસ યોજના અંદર જય શ્રી આવાસની મેલડી માતાજી મંદિર દરેક ભાવીભક્તોને નિહાળવા વિનંતી કરેલ છે.