મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહનના ફેરા બાબતે ઝઘડા બાદ બે લોકો વચ્ચે સામસામી મારામારી
મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE








મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સીના પાછળના ભાગે આવેલ વજેપર-કાલીકા પ્લોટ નજીક રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનના પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોડીરાત્રીના એકાદ વાગ્યે બનેલ બનાવમાં હાલ ત્રણ સામે ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર રહેતા સંજય કૈલાશભાઈ ચૌહાણ (ઉમર ૩૫) નામના યુવાનને તા.૪-૧૦ ના મોડીરાત્રીના એકાદ વાગ્યે પેટના ભાગે છરી લાગી ગઈ હતી. જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.

