મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં ભાજપના આગેવાન સહિત વધુ આઠ શખ્સોની ધરપકડ


SHARE















મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં ભાજપના આગેવાન સહિત વધુ આઠ શખ્સોની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં ભાજપના હોદેદાર સહિત કુલ મળીને આઠ આરોપીને પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ ચરાડવાના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના પતિ હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56)એ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસથી  કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ હતો જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ધરી હતી

આ ગુનામાં પહેલા પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા અને તે પૈકીનાં મોટાભાગના આરોપી જામીન મુક્ત થઈ ગયેલ છે હાલમાં આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.આર. સોનારા તથા ડી-સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફ દ્વારા વધુ આઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં યુવા ભાજપ અગ્રણી સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જેને પકડવામાં આવેલ છે તેમાં મહાવીરસિંહ મનુભા જાડેજા (33) રહે. કાલિકા પ્લોટ  (યુવા ભાજપના હોદેદાર), વનરાજસિંહ તેજુભા ઝાલા (52) રહે. પંચાસર, નવીન હીરાભાઈ માખીજા (32) રહે. બુઢાબામાં શેરી મોરબી, સવજી ગાંડુભાઈ ફેફર (63) રહે. છાત્રાલય રોડ મોરબી, યોગેશ જીવણભાઈ પંચાસરા (45) રહે. ગોલ્ડન માર્કેટ પાસે રવાપર, સમીર મહેશભાઈ પંડ્યા (38) રહે. વસંત પ્લોટ મોરબી, લલિત વલ્લભભાઈ મીરાણી (70) રહે. ગોકુલધામ સોસાયટી રવાપર અને ભાવિન ગિરીશભાઈ કારીયા (29) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબીનો સમાવેશ થાય છે.






Latest News