મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિરાટ આયોજન


SHARE















મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિરાટ આયોજન

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.9 ઓકટોમ્બર થી 13 ઓકટોમ્બર સુધી 5 દિવસ શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમિટી દ્વારા આઠમાં વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા નોરતેથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને હર એક નારી ની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પૂજા મહોત્સવનું છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

નારી શક્તિના મહાન ઉત્સવ સમાન દુર્ગા પુજાનો મુળસાર એ છે કે હર એક નારીની અંદર એક ખાસ શકિત રહેલી છે એ શક્તિને જાણવાનો અને તેનો અહેસાસ કરવાનો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસૂરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ, અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચીત છે જરૂર છે માત્ર અંદરની શકિતને ઓળખવાની અને તેનો યોગ્ય સમય પર યોગ્ય ઉપયોગ કરવાની.

દુર્ગા પૂજામાં બલ,બુદ્ધિ,જ્ઞાન,સમજ,વિવેક,ન્યાય,સત્ય અને જીવનને ઉચ્ચધ્યેયનો મહા સંગમ છે 5 દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુરમર્દિની મા દુર્ગાના વિરાટ રૂપના દર્શન, સૌમ્ય દેવી સરસ્વતીના, સમુદ્ધિ અને યશના દેવી લક્ષ્મીના, વિધ્યા અને બુદ્ધિના સ્વામી ગણેશજીના, શૌર્ય અને બલના સ્વામી કાર્તિકેયજીની પુજા સ્તૂતી અને આરતી અને તમામ સંસ્કૃતિક કાર્યક્રમોનો મહા સંગમ છે, તો આ દુર્ગા પૂજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમિટી તરફથી પાઠવવામાં આવ્યું છે.






Latest News