મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ૧૨૫ દીકરીઓનું કન્યા પૂજન-લ્હાણી વિતરણ કરાયું
SHARE








મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ૧૨૫ દીકરીઓનું કન્યા પૂજન-લ્હાણી વિતરણ કરાયું
મોરબીના વીસીપરા સ્થિત પંચેશ્વરી મેલડી માતાજી ગરબી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા કન્યા પૂજન તેમજ લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જે અંતર્ગત કુલ ૧૨૫ દીકરીઓનું પૂજન તેમજ તેમને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી નરેન્દ્રભાઈ પાઁવ દ્વારા દરેક બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તરફથી દરેક માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડે જણાવ્યુ છે

