મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન


SHARE







મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર-મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવાતા હિન્દુ સામ્રાજ્ય દિવસના અવસરે તા.૨૮ જૂન, રવિવારના રોજ રાત્રે નવ વાગ્યે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
 
રેલીનો પ્રારંભ કપિલા હનુમાનજી મંદિર, માધાપરના જાપા પાસે, વાવડી રોડ, મોરબી ખાતેથી થશે.આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. 
 
આયોજકોએ તમામ હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, યુવાનો તેમજ નાગરિકોને અચૂક હાજરી આપી રેલીને ભવ્ય અને સફળ બનાવવાની અપીલ કરી છે.હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે.છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી યોજાનારી આ ભવ્ય બાઇક મશાલ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા આયોજકો દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.





Latest News