મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ


SHARE





મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ

મોરબી ના માનસર ગામનાં રહીશ રવજીભાઈ બેચરભાઇ દેથરીયા કાયદેસરના ખેડૂત હતાં તેવો મંડળી દ્રારા ચોલા મંડલમનો દશ લાખનો વીમો લીધેલ હતો તેઓ તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોટર સાઇકલ પર મોરબી જેતપર હાઇવે પર જતા ખટારા વાળાએ અકસ્માત કરતા મરણપામેલ તેના પત્ની મંજુલાબેને વીમાના તમામ કાગળો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ બાનુ આપેલ કે મરણજનાર રવજીભાઈ પાસે કાયદેસર ડ્રાઈવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી આ બાબતે મંજુબેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલત માં કેઇસ દાખલ કરતાં કોર્ટ દશ લાખ પાંચ હજાર વીમા કંપની ને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માનસર ગામ નાં વતની રવજીભાઇ દેથરીયા તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોરબી જેતપર હાઇવેપર તેનુ મોટર સાયકલ લઇને દુકાને જતાં ખટારા સાથે અકસ્માત થતાં મરણ પામ્યા તેણે સહકારી મંડળી દ્રારા ચોલા મંડલમ વીમા કંપનીનો વીમો લીધેલ હતો રવજીભાઇ ધર્મ પત્ની મંજુલાબેન દેથરીયા એ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરી આપેલ પરંતુ વીમા કંપનીએ એવુ કારણ દર્શાવેલ કે રવજીભાઈ પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી નામદાર કોર્ટ સુપ્રિમ કોર્ટ ના ચુકાદા ને અનુલક્ષીને વીમા કંપની એ મંજુલાબેન દેથરીયાને રૂપિયા દશ લાખ પાંચ હજાર તા.૨૩-૧૧-૨૨ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકાવવાનો આદેશ કરેલ છે વીમા કંપની ખેડૂતોને અકસ્માત વીમો દેવાનો સમય આવે છે ત્યારે હાથ ઉચા કરી નાખે છે તેવુ જાણવા મળેલ છે દરેક ખેડૂતે સહકારી મંડળી દ્રારા વીમો ઉતારે ત્યારે સંયુકત પોલીસીની નકલ લઇ લેવી જરૂરી છે કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ ઉપપ્રમુખ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News