ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ


SHARE













મોરબી: અકસ્માત મૃત્યુનો ભોગ બનેલ વ્યક્તિના પરિવારને 10 લાખનો વીમો ચુકાવવા આદેશ

મોરબી ના માનસર ગામનાં રહીશ રવજીભાઈ બેચરભાઇ દેથરીયા કાયદેસરના ખેડૂત હતાં તેવો મંડળી દ્રારા ચોલા મંડલમનો દશ લાખનો વીમો લીધેલ હતો તેઓ તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોટર સાઇકલ પર મોરબી જેતપર હાઇવે પર જતા ખટારા વાળાએ અકસ્માત કરતા મરણપામેલ તેના પત્ની મંજુલાબેને વીમાના તમામ કાગળો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ બાનુ આપેલ કે મરણજનાર રવજીભાઈ પાસે કાયદેસર ડ્રાઈવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી આ બાબતે મંજુબેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલત માં કેઇસ દાખલ કરતાં કોર્ટ દશ લાખ પાંચ હજાર વીમા કંપની ને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માનસર ગામ નાં વતની રવજીભાઇ દેથરીયા તા.૨૯-૧૨-૨૧ નાં રોજ મોરબી જેતપર હાઇવેપર તેનુ મોટર સાયકલ લઇને દુકાને જતાં ખટારા સાથે અકસ્માત થતાં મરણ પામ્યા તેણે સહકારી મંડળી દ્રારા ચોલા મંડલમ વીમા કંપનીનો વીમો લીધેલ હતો રવજીભાઇ ધર્મ પત્ની મંજુલાબેન દેથરીયા એ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરી આપેલ પરંતુ વીમા કંપનીએ એવુ કારણ દર્શાવેલ કે રવજીભાઈ પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોતુ તેથી વીમો મળે નહી નામદાર કોર્ટ સુપ્રિમ કોર્ટ ના ચુકાદા ને અનુલક્ષીને વીમા કંપની એ મંજુલાબેન દેથરીયાને રૂપિયા દશ લાખ પાંચ હજાર તા.૨૩-૧૧-૨૨ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકાવવાનો આદેશ કરેલ છે વીમા કંપની ખેડૂતોને અકસ્માત વીમો દેવાનો સમય આવે છે ત્યારે હાથ ઉચા કરી નાખે છે તેવુ જાણવા મળેલ છે દરેક ખેડૂતે સહકારી મંડળી દ્રારા વીમો ઉતારે ત્યારે સંયુકત પોલીસીની નકલ લઇ લેવી જરૂરી છે કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ ઉપપ્રમુખ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News